
ઢગલા
અનાજનાં ગોડાઉન માં એક તરફ ઘઉંના ઢગ ભર્યા હતા.
અને બીજી તરફ વાળીઝૂડીને રાખેલો કાંકરા ને કચરાનો ઢગલો હતો. બોઘડે ઘઉંનો ઢગ લીધો. એકાદ કાંકરો આવ્યો તે કાઢીનેં ફેંકી દીધો.
* ઓઘડ કાંકરાનો ઢગ લઈને બેઠો. કાંકરાનાં ઢગમાંથી ઘઉંના દાણા શોધતા નાકે દમ આવી ગયો. *
શું સ્મૃતિનાં કોઠારમાં સુખની સ્મૃતિ અને દુખની સ્મૃતિ
એક જ કોઠારમાં સાચવી રાખો છો?
અને તમે કયા ઢગલાનું ધ્યાન રાખો છો?
No comments:
Post a Comment