અપરાજીતા
મા જ દિકરીનું નામ પાડે એવું કાંઈ જરૂરી નહીં
અપરજીતા નામ મારી દિકરી એ પાડ્યું છે.
એણે એના જન્મ થી મને જોઈ છે અને
મારા કરતા ક્દાચ એ મને વધુ સારી રીતે ઓળખે છે.
વળી મને ઘડનાર ને ખબર છે
કે કઈ કઈ મુશ્કેલીઓ પાર કરવાનું એ મને શીખવવાનો છે
વળી એની કરુણા ગુપચુપ આવી ને માર્ગ નાં કટકો ઉઠાવી લે છે.
એટલે પરાજીત થવાનુ બહુ શક્ય નથી.
જિંદગી ની ઘટમાળ માં પરાજિત ન થએલી મને જોઈ ને
મારી દિકરી એ મારું નામ અપરાજીતા પાડ્યું છે
પણ .
હું જાણતી નથી કે એને જાણ છે કે નહીં
કે
વિજય તો હંમેશા મારા સર્જનહાર નો જ છે
પણ મને ખબર છે
કે
મને અપારાજીતા કોણે બનાવી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment